હાસ્ય-ચિકિત્સા વૈજ્ઞાનિક રીતે આદર્શ કસરત ગણાય છે.
આદર્શ કસરત એટલે જેમાં એરોબિક વિભાગ, સ્નાયુનો વિભાગ અને સાંધાનો વિભાગ આવે.
- એરોબિક વિભાગમાં તમારા હ્રદય, ફેફસા અને રક્તવાહિનીની ક્ષમતા વધે. જાણીતી બધી કસરતો જેવી કે ચાલવું, દોડવું, ધીમી ગતિએ દોડવું (જોગીંગ), સાઇકલ ચલાવવી, તરવું, હલેસા મારવા, પર્વતારોહણ, દાદરો ચઢવો – ઊતરવો, અને હોકી, ફૂટબોલ, ટેનિસ, બેડમિંટન વગરે એરોબિક કસરતો ગણાય. આ કસરતો કરતી વખતે તમારા હ્રદયની અને ફેફસાની ગતિ વધે અને રુધિરાભિસરણ કરનારી રક્તવાહિનીઓની ક્ષમતા વધે. ત્રીસ (૩૦) મિનિટના સમયગાળા માટે આ કસરતો કરવાની હોય છે. આ દરમિયાન તમારા શરીરને ખૂબ ઓકસિજન મળે.
- સ્નાયુના વિભાગમાં જૂની અખાડાની કસરતો અને નવી હેલથ-કલ્બની કસરતો આવે જે ફક્ત પાંચ (૫) મિનિટ વોરમ-અપ કસરત તરીકે એરોબિક કસરત શરૂ કરતા પહેલા કરવાની છે.
- સાંધાના વિભાગની કસરતો એટલે આસનો જે એરોબિક કસરતના અંતે પાંચ (૫) મિનિટ માટે કરવાની છે.
- તમારી તંદુરસ્તી અકબંધ રાખવા માટે ચાલિસ (૪૦) મિનિટનો સમય ગાળો ઉપરની ત્રણે કસરતના વિભાગ માટે રાખવાનો છે.
- હાસ્ય થેરેપીની કસરત વૈજ્ઞાનિક રીતે આદર્શ કસરત ગણાય, કારણ હાસ્ય પ્રાણાયામ અને હોલ-બોડી કસરતોમાં એરોબિક, સાંધા અને સ્નાયુ મળીને ત્રણ વિભાગની કસરત આવી જાય છે.
ડો મુકુન્ચદ મહેતા, આરોગ્ય પુસ્તિકા: ૧, હાસ્યચિકિત્સા, પાનુ ૧૧-૧૨
ચલો મારી સાથે… ક્રષ્ણનગર લાફિંગ ક્લબ, સાયંશાખા, સવારના ૬:૩૦!
—