હાસ્યના લાભો


હાસ્ય-ચિકિત્સા વૈજ્ઞાનિક રીતે આદર્શ કસરત ગણાય છે.

આદર્શ કસરત એટલે જેમાં એરોબિક વિભાગ, સ્નાયુનો વિભાગ અને સાંધાનો વિભાગ આવે.

  1. એરોબિક વિભાગમાં તમારા હ્રદય, ફેફસા અને રક્તવાહિનીની ક્ષમતા વધે. જાણીતી બધી કસરતો જેવી કે ચાલવું, દોડવું, ધીમી ગતિએ દોડવું (જોગીંગ), સાઇકલ ચલાવવી, તરવું, હલેસા મારવા, પર્વતારોહણ, દાદરો ચઢવો – ઊતરવો, અને હોકી, ફૂટબોલ, ટેનિસ, બેડમિંટન વગરે એરોબિક કસરતો ગણાય. આ કસરતો કરતી વખતે તમારા હ્રદયની અને ફેફસાની ગતિ વધે અને રુધિરાભિસરણ કરનારી રક્તવાહિનીઓની ક્ષમતા વધે. ત્રીસ (૩૦) મિનિટના સમયગાળા માટે આ કસરતો કરવાની હોય છે. આ દરમિયાન તમારા શરીરને ખૂબ ઓકસિજન મળે.
  2. સ્નાયુના વિભાગમાં જૂની અખાડાની કસરતો અને નવી હેલથ-કલ્બની કસરતો આવે જે ફક્ત પાંચ (૫) મિનિટ વોરમ-અપ કસરત તરીકે એરોબિક કસરત શરૂ કરતા પહેલા કરવાની છે.
  3. સાંધાના વિભાગની કસરતો એટલે આસનો જે એરોબિક કસરતના અંતે પાંચ (૫) મિનિટ માટે કરવાની છે.
  4. તમારી તંદુરસ્તી અકબંધ રાખવા માટે ચાલિસ (૪૦) મિનિટનો સમય ગાળો ઉપરની ત્રણે કસરતના વિભાગ માટે રાખવાનો છે.
  5. હાસ્ય થેરેપીની કસરત વૈજ્ઞાનિક રીતે આદર્શ કસરત ગણાય, કારણ હાસ્ય પ્રાણાયામ અને હોલ-બોડી કસરતોમાં એરોબિક, સાંધા અને સ્નાયુ મળીને ત્રણ વિભાગની કસરત આવી જાય છે.

ડો મુકુન્ચદ મહેતા, આરોગ્ય પુસ્તિકા: ૧, હાસ્યચિકિત્સા, પાનુ ૧૧-૧૨

ચલો મારી સાથે… ક્રષ્ણનગર લાફિંગ ક્લબ, સાયંશાખા, સવારના ૬:૩૦!

Leave a comment