હાસ્યની છોળો ઉડાડ્યા કરવી, સમજદાર લોકોનો આદર
અને શિશુઓનો સ્નેહ પામવો,
દિલેર ટીકાકારોની કદર મેળવવી અને
દગાખોર દોસ્તોને ખમી ખાવા, જીવનના સૌં દર્યને માણવું,
અન્યોમાં અનોખું હોય તેની ખોજ કરવી,
એકાદ ઉમદા બાળકને ઉછેરીને કે એક નાનો બાગ સીંચીને
જગતને થોડું બહેતર બનાવી દેવું,
અરે, આપણા થકી એકાદ જિંદગી મધુર બની એ જાણવું
– તેનું નામ સફળતા.
— એમર્સન
વિચારોની વસંત, વેરાયેલા થોડા વિચાર-પુષ્પો
વીણ્યાં ને ગુજરાતીમાં ઉતાર્યાં, જયંત મેઘાળી
સંપાદક કોકિલા રાવળ