હિંદી અને અંગ્રેજ

પહેલી વખત મુંબઈ આવ્યો હતો. સાંજે ધોબી તળાવ પાસેના એડવર્ડ થિયેટરમાં ‘ એક જ ભૂલ’ નાટક જોવાના ઈરાદાથી નીકળ્યો. ટ્રામમાં ધોબી તળાવ તો આવ્યો. પણ ત્યાંથી ઘણી દોડધામ કરી પણ એડવર્ડ થિયેટર મળ્યું નહીં. આખરે થાકી કંટાળીને પાછા ધોબી તળાવના ચોગાનમાં આવીને એક ટેકસી બોલાવી કહ્યું : “ એડવર્ડ થિયેટર લઈ લે.” ટેકસીવાળો સામે જોઈ … Continue reading હિંદી અને અંગ્રેજ

ફિલાડેલ્ફિયાના સમાચાર

કોકિલા રાવળ અહિંયા ભારતિય ટેંપલમાં હમણા ગણેશ ઉત્સવ ઉજ્વાયો. વ્યવસ્થા બહુ સારી હતી. વોલંટિયરો (સ્વયમ-સેવકો) દિલથી કામ કરતા હતા. રોજ જુદા જુદા પ્રોગ્રામ પણ થતાં હતા. ભારતના બધી જાતના લોકો ભાગ લેતાં હતા. સંગીત, નૃત્ય, ડાયરો, મારવાડી ઠુમરી, વાયોલીન અને બોલીવુડના ગીતો. અમે તો ગુજરાતી અને હિંદી પ્રોગ્રામમા હતા; મરાઠી અને બંગાળી ભાષામાં પણ હતા. … Continue reading ફિલાડેલ્ફિયાના સમાચાર

દસમેં પાને

સેંટરસીટીમાં મીટીંગ હોવાથી મીનળ બસ લઇને ગઇ. સ્ટેશને પહોંચ્યા પછી તેને થોડુ ચાલવાનું હતું. તે ચાલતી જતી હતી ત્યારે દરેક ગલીને નાકે કોઇ છાપું વેંચવાનુ પ્રયત્ન કરતું હતું. તે કોઇને કોઠુ આપ્યા વગર પોતાની મીટીંગની જગ્યાએ પહોંચી. ધડીયાળમાં જોયું તો તે હજી વહેલી પહોંચી હતી. સારો દિવસ હોવાથી તેણે બહારજ ઉભા રેવાનું પસંદ કર્યુ. ત્યાં … Continue reading દસમેં પાને

અમારા બાપુ: કલાગુરુ રવિશંકર રાવળ

અમારા બાપુ: કલાગુરુ રવિશંકર રાવળ જન્મ તારીખ ૧ ઓગસ્ટ ૧૮૯૨ ભાવનગર અવષાન ૯ ડિસેમ્બર અમદાવાદ ૧૯૭૭ દિનેશ દેસાઇનો આર્ટિકલ, મુંબઇ સમાચાર, ૪ જુલાઇ ૨૦૧૫       હમણા મહેન્દ્ર મેઘાણીએ દિધેલા પુસ્તકમાં એક બાપુની કણીકા મળી: ‘કુમાર’ માસિકના તંત્રી શ્રી રવિભાઇ (રાવળ)એ નિવેદન કર્યું  છે: “કોઇ અચોક્કસ મુદત સુધી ‘કુમાર’ મોકૂફ રહેશે.” શા માટે? તંત્રી કહે છે— ઓગણીસ … Continue reading અમારા બાપુ: કલાગુરુ રવિશંકર રાવળ

શરૂઆત

ઘણા વખતથી હું ‘કેસુડાં’ને ફરી શરૂ કરવાનો વિચાર કરતી હતી. મારી દીકરી મીનળના કહેવાથી ‘કેસુડાં’ નામના બ્લોગથી શરૂઆત કરૂં છું. આ બ્લોગ અનિયમિત પણે પ્રગટ થતો રહેશે. હું કિશોર સાથે કેસુડે રંગાણી. તેમણે મને સાહિત્યમાં રસ લેતા કરી. લખવાની પ્રેરણા પણ આપી. બીજો જશ આદિલ મન્સૂરીને જાય છે. તેની સાથે મહિને એક વાર ‘સાઠદિન’ની પ્રવ્રુતિમાં … Continue reading શરૂઆત